આગામી બે મહિના દેશ અને તમામ દેશવાસીઓ માટે ખૂબ જ મુશ્કેલ હશે: શ્રીલંકા પ્રધાનમંત્રી
Live TV
-
શ્રીલંકા દેશમાં વર્તાઈ રહેલી આર્થિક સંકટને મામલે શ્રીલંકાના પ્રધાનમંત્રી રોનિલ વિક્રમસિંઘે કહ્યું છે કે આગામી બે મહિના દેશ અને તમામ દેશવાસીઓ માટે ખૂબ જ મુશ્કેલ હશે. તેમણે એમ પણ કહ્યું કે આપણે આ માટે તૈયાર રહેવું પડશે. એક નિવેદનમાં, વિક્રમસિંઘે કહ્યું કે તેમનો સત્ય છુપાવવાનો કોઈ ઈરાદો નથી અને દેશવાસીઓ સાથે ખોટું બોલવાનો તેમનો કોઈ ઈરાદો નથી કારણ કે પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક છે.
વિક્રમસિંઘે વધુમાં કહ્યું કે સંકટના આ સમયમાં અમને અમારા મિત્ર દેશો પાસેથી મદદ મળવાની આશા છે. વિક્રમસિંહે દેશવાસીઓને આ સંકટનો ધીરજ સાથે સામનો કરવાની અપીલ કરી હતી.
