આજે છે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ
Live TV
-
વાઘના પ્રાકૃતિક રક્ષણ માટે વૈશ્વિક સ્તરે વાઘ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો આ દિવસનો હેતુ છે. ભારતમાં વાઘ સંરક્ષણની સ્થાપના 1973 માં કરવામાં આવી હતી. જેનું સંચાલન "રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ" દ્વારા કરવામાં આવી છે.
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનમંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસે વર્ષ 2014 થી 2018-19 દરમિયાન દેશમાં વાઘની સંખ્યા બમણી થવા અંગે ખુશી વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે,વાઘ અભ્યારણ્યની સંખ્યા 9 થી વધીને 52 થઇ છે અને હાલમાં દેશમાં 2,967 વાઘ છે. જે વિશ્વમાં કુલ વાઘની સંખ્યાની સરખામણીમાં 75 ટકા જેટલી છે. તેમણે લોકોને વાઘનાં સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી.
