આજે ભારત અને સંયુકત અરબ અમિરાત વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી વિષય પર યોજાશે શિખર સંમેલન
Live TV
-
યુએઇ ભારતનો સૌથી મોટો ત્રીજો વેપારી ભાગીદાર દેશ છે
ભારત અને સંયુકત અરબ અમિરાત વ્યાપક આર્થિક ભાગીદારી સમજુતી હાથ ધરવા આજે બેઠક કરશે. વર્ચુઅલ માધ્યમથી યોજાનાર આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અબુધાબીના શહેજાદા શેખ મોહમ્મદ બીન જાયદ અલ નાહયાન ભાગ લેશે.વિદેશ મંત્રાલયે શિખર સંમેલનની જાહેરાત કરતા કહ્યું કે, સીઇપીએ માટે આ વાતચીત 2021માં શરૂ કરવામાં આવી હતી અને તે પૂર્ણ થઇ છે. આ સમજૂતીમાં ભારત સંયુક્ત અરબ અમિરાત આર્થિક અને વાણિજ્ય સમજૂતીને બીજા સ્તર સુધી લઇને જશે. જેમા વેપાર, રોકાણ, સામાન અને સેવાઓ જેવા ક્ષેત્રોનો સમાવેશ થવાની સંભાવના છે. યુએઇ ભારતનો સૌથી મોટો ત્રીજો વેપારી ભાગીદાર દેશ છે.
