આરોગ્ય અને ચિકિત્સાના ક્ષેત્રમાં સહયોગ અંગે ભારત અને ડેનમાર્ક વચ્ચે MoUને મંજૂરી
Live TV
-
મંત્રીમંડળ દ્વારા આરોગ્ય અને ચિકિત્સાના ક્ષેત્રમાં સહયોગ અંગે ભારત અને ડેનમાર્ક વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) ને મંજૂરી આપવામાં આવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી મંત્રીમંડળની બેઠકમાં ભારતના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અને ડેનમાર્કના આરોગ્ય મંત્રાલય વચ્ચે આરોગ્ય અને ચિકિત્સાના ક્ષેત્રમાં સહકાર અંગેના સમજૂતીકરારને મંજૂરી આપવામાં આવી છે. આ દ્વિપક્ષીય સમજૂતી કરાર ભારતના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અને ડેનમાર્કના આરોગ્ય મંત્રાલય વચ્ચે આરોગ્ય ક્ષેત્રે સંયુક્ત પહેલ અને તકનીકી વિકાસ દ્વારા સહકારને પ્રોત્સાહિત કરશે. તે ભારત અને ડેનમાર્ક વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે. દ્વિપક્ષીય સમજૂતીકરાર ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ડેનમાર્કના આરોગ્ય મંત્રાલય વચ્ચે સંયુક્ત પહેલ અને આરોગ્ય ક્ષેત્રે સંશોધનના વિકાસ દ્વારા સહકારને પ્રોત્સાહિત કરશે. આનાથી બંને દેશોના લોકોની જાહેર આરોગ્યની સ્થિતિમાં સુધારો થશે.
