ઈઝરાયલ: શરણાર્થી શિબિરમાંથી સૈનિકોને પરત બોલાવાયા, 12 ફિલિસ્તીનીના મૃત્યુ
Live TV
-
બે દિવસ સુધી ચાલતા અભિયાન દરમિયાન આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી.
ઈઝરાયલની સેનાએ વેસ્ટ બેન્કના જેનિન શહેરમાં શરણાર્થી શિબિરમાંથી સૈનિકોને પરત બોલાવી લીધા છે. ઈઝરાયલની સેનાએ જણાવ્યું છે કે, બે દિવસ સુધી ચાલતા અભિયાન દરમિયાન આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી છે. છેલ્લા બે દાયકામાં વેસ્ટ બેન્કમાં આ સૌથી મોટું અભિયાન હતું. ફિલિસ્તીની આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, આ અભિયાન દરમિયાન 12 ફિલિસ્તીનીના મૃત્યુ થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
