ઈરાનમાં તુર્કીની સરહદ નજીક આવેલા ભૂકંપમાં ત્રણના મોત, 300થી વધુ ઘાયલ
Live TV
-
ઈરાનમાં તુર્કીની સરહદ નજીક ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈરાનના અધિકારીઓએ જણાવ્યા અનુસાર ઘટના સ્થળના વિસ્તારમાં બચાવ ટીમો રવાના કરવામાં આવી હતી. ભૂકંપથી 87 જેટલા ગામો પ્રભાવિત થયા છે. ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. અને ભૂકંપનું કેન્દ્ર જમીનથી 7 કિલોમીટર નીચે જાણવામાં આવ્યું હતું.
