'ઓનશોરિંગ ધ ઇન્ડિયન ઇનોવેશન ટુ ગિફ્ટ આઇએફએસસી' ની નિષ્ણાતોની સમિતિ
Live TV
-
ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ ઓથોરિટી (આઇએફએસસીએ) દ્વારા રચાયેલી 'ઓનશોરિંગ ધ ઇન્ડિયન ઇનોવેશન ટુ ગિફ્ટ આઇએફએસસી'ની નિષ્ણાતોની સમિતિએ 14 ઓગસ્ટ, 2023ના રોજ આઇએફએસસીએના ચેરપર્સનને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. આ સમિતિની અધ્યક્ષતા આરબીઆઈના પૂર્વ કાર્યકારી નિદેશક જી. પદ્મનાભને કરી હતી. સમિતિના સભ્યોમાં અગ્રણી વેન્ચર કેપિટલ ફંડ્સના પ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ્સ, ફિનટેક, લો ફર્મ્સ, ટેક્સ કંપનીઓ અને અન્ય ડોમેન નિષ્ણાતોનો સમાવેશ થતો હતો.
સમિતિના મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોને ભારતની બહાર ભારતીય સ્ટાર્ટઅપ્સના સ્થળાંતરના કારણોને સમજવા અને ભવિષ્યમાં સ્ટાર્ટઅપ્સના બાહ્યકરણને ટાળવા માટેના સૂચનો અને હાલમાં બાહ્યકૃત થયેલા સ્ટાર્ટઅપ્સને ફરીથી પુન:સ્થાપિત કરવા માટે સમજાવવા તરફ નિર્દેશિત કરવામાં આવ્યા હતા.
સમિતિએ તેની ભલામણો પ્રદાન કરી છે, જે ગિફ્ટ આઇએફએસસીને વૈશ્વિક ફિનટેક હબ તરીકે વિકસાવવા માટે મહત્ત્વપૂર્ણ છે. ગિફ્ટ આઇએફએસસીને ભારતીય નવીનતાને આગળ વધારવાના વિચારને અમલમાં મૂકવા મંત્રાલયો, નિયમનકારી સંસ્થાઓ અને અન્ય સહિત વિવિધ હિતધારકો દ્વારા હાથ ધરવામાં આવનાર વિવિધ પગલાં પોઇન્ટ્સ સૂચવવામાં આવ્યા છે. આ સમિતિનો અહેવાલ સિંગાપોર, નેધરલેન્ડ્સ અને લક્ઝમબર્ગ જેવા અન્ય અગ્રણી અધિકારક્ષેત્રો સાથે કંપનીના સેટઅપ્સને હોલ્ડિંગ કરવાના ભારતના અભિગમની વિસ્તૃત તુલના કરે છે, જે આ પ્રકારના સેટઅપ્સના સફળતાપૂર્વક અમલીકરણ માટે જાણીતા છે. સમિતિએ આઇએફએસસીની અંદર કરવેરા અને નિયમનકારી કાયદાઓને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રણાલિઓ સાથે સંરેખિત કરવાની ભલામણ કરવામાં આવી છે, જેથી એવું વાતાવરણ ઊભું કરી શકાય કે જે કંપનીના માળખાને જાળવી રાખવા માટે સક્રિયપણે પ્રોત્સાહિત કરે અને ટેકો આપે. સમિતિએ આ અહેવાલમાં એ પણ તપાસ કરી છે કે ભારતીય સ્થાપકો વિદેશી અધિકારક્ષેત્રોમાં જતા રહેવા માટે કેટલાક પુશ-પુલ પરિબળો જવાબદાર છે.
આઇએફએસસીએના ચેરપર્સન નિષ્ણાતોની સમિતિનો તેમની વિસ્તૃત ભલામણો બદલ આભાર માન્યો હતો.
