ઓપરેશન કાવેરી અંતર્ગત સૂદાનમાંથી અત્યાર સુધીમાં 500 ભારતીયો સુદાન પોર્ટ પહોચ્યાં
Live TV
-
સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષીત પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. પ્રધાનમંત્રીએ વિદેશ-રાજ્યમંત્રીને ઓપરેશન કાવેરી ઉપર નજર રાખવાની કામગીરી સોપી છે,જે અનુસાર 500 ભારતીયો સુદાન પોર્ટ પહોચ્યાં છે. I.S. સુમેધાથી ઓપરેશન કાવેરી દ્વારા આ ભારતીયોને જદા લાવવામાં આવશે. જ્યાથી તેઓને વિમાન દ્વારા સ્વદેશ લાવવામાં આવશે. આ ઓપરેશન સુદાનમાં સમુદ્રી માર્ગથી કરવામાં આવી રહ્યું છે. સુદાનમાં છેડાયેલા ગૃહયુધ્ધના કારણે ત્યાં સ્થિતિ વણસી છે. અહી એરસ્પેસ સંપૂર્ણપણે બંધ છે. ગઇકાલે વિદેશમંત્રી S.જયશંકરે ટ્વીટ દ્વારા જણાવ્યું કે ઓપરેશન કાવેરી દ્વારા 500 ભારતીયો પોર્ટ સુદાન પહોચ્યાં અને ત્યાંથી તેઓને સ્વદેશ લાવવા વિમાન તૈયાર છે.
