ઓપરેશન કાવેરી અંતર્ગત 2,400 થી વધુ ભારતીયોનું સુરક્ષિત ભારત આગમન
Live TV
-
ઓપરેશન કાવેરી અંતર્ગત હિંસાગ્રસ્ત સુદાન ખાતેથી ભારતીયોને સુરક્ષિત વતન લાવવામાં આવી રહ્યા છે. બે હજાર 400થી વધુ ભારતીયોને અત્યાર સુધીમાં સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા છે. આજે જેદ્દાહ ખાતેથી 186 ભારતીયોને લઇને વિમાન કોચ્ચી આવી પહોંચ્યું હતું. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ અંદાજે 3 હજાર ભારતીયો સુદાનથી બહાર આવી ચૂક્યા છે. બીજી તરફ122 ભારતીયોને લઇને વાયુસેનાનું વિમાન સુદાનથી જેદ્દાહ માટે રવાના થઇ ચૂક્યું છે.
