કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલના નેતૃત્વમાં ભારતીય પ્રિતિનિધિમંડળ જીનીવાની યાત્રા પર
Live TV
-
કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલેના નેતૃત્વમાં ભારતીય પ્રિતિનિધિમંડળ સ્વિત્ઝરલેન્ડના જીનીવાના પ્રવાસે છે. 12મું વિશ્વ વ્યાપાર સંગઠન મંત્રિસ્તરીય સમ્મેલન લગભગ 5 વર્ષના સમયગાળા બાદ સ્વિત્ઝરલેન્ડના જીનીવામાં જ આજથી શરૂ થવાનું છે. આ વર્ષના સંમેલનમાં કોરોના મહામારીમાં થયેલા નુકશાન પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. તેની સાથે જ ખાદ્ય આપૂર્તિ, કૃષિ, મત્સ્ય ઉદ્યોગ WTOમાં ચર્ચાના મુખ્ય મુદ્દા હશે. તો બાજી તરફ આ બેઠકમાં ભારતનો નિષ્પક્ષ અને ન્યાયસંગત પારદર્શી ચર્ચાનો પક્ષ મુકશે. આ સમ્મેલનને લઈને જીનીવામાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે.
