જાપાનમાં પૂર અને ભૂસ્ખલનથી 48 નાગરિકોના મોત
Live TV
-
જાપાનના પશ્ચિમી વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનથી 48 લોકોના મોત થયા છે. કેટલાય લોકો ગુમ થયા છે, તો 15 લાખ લોકોને પોતાનું ઘર છોડી સુરક્ષિત જગ્યા પર રહેવા જવાની સલાહ આપવામાં આવી છે.
જાપાનના પશ્ચિમી વિસ્તારમાં આવેલ પૂર અને ભૂસ્ખલન બાદ ઓછામાં ઓછા 48 લોકોના મોત થયા છે, અને હજુ પણ કેટલાક લોકો ગાયબ છે. જેમાંથી મોટાભાગના લોકોના મોત હિરોશીમા પ્રીફેક્ચરમાં થયા છે, જ્યાં ગુરુવારે મુશળધાર વરસાદ થયો હતો.
વરસાદના કારણે ઘણા ઘરોને પણ નુકશાન થયું છે. જાપાનમાં 15 લાખ લોકોને ઘર છોડવાની ચેતવણી પણ અપાઈ છે. ગાયબ થયેલા લોકોની શોધખોળ અને રાહત કાર્યમાં હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, ફાયરબ્રિગેડ કર્મચારીઓ અને આર્મી જવાનો લાગેલા છે.
