જાપાન: ટોક્યો સહિત અન્ય કેટલાક સ્થળોએ કટોકટી હટાવવા માટે તૈયાર
Live TV
-
જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ કોરોના વાયરસના કારણે લાગુ કરે ઇમરજન્સી સોમવારે ટોક્યો અને અન્ય કેટલાક હિસ્સામાં પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. જાપાનમાં આશરે 16,600 લોકો કોરોના સંક્રમિત છે. જ્યારે આશરે 850 લોકોના કોરોના વાયરસને કારણે મોત થયાં છે.
એક ખાસ સરકારી પેનલના નિષ્ણાતોએ ટોક્યો અને અન્ય 4 પ્રાંતમાં કોરોના વાયરસ ઇમરજન્સીનો હટાવી લેવાની યોજનાને મંજૂરી આપી છએ. ત્યારબાદ પ્રધાનમંત્રી શિંજો આબેએ વ્યવસાયોને ધીમે-ધીમે ફરીથી શરૂ કરવાની મંજૂરી આપીને ઇમરજન્સી હટાવી લેવાનો માર્ગ મોકળો કર્યો છે.
