તાઈવાનના હાઈકુઈ વાવાઝોડાના પ્રકોપે અંદાજિત 3,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
Live TV
-
તાઈવાનમાં વાવાઝોડા હાઈકુઈને જોતા લગભગ ત્રણ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ તોફાન તાઇવાનના દક્ષિણ અને પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ અને ભારે પવન લાવશે તેવી અપેક્ષા છે. હાઈકુઈ તાઈવાનના દૂરના દક્ષિણપૂર્વ પર્વતીય વિસ્તારોમાં લેન્ડફોલ કરે તેવી અપેક્ષા છે.
તાઈવાનના રાષ્ટ્રપતિએ લોકોને સલાહ આપી છે કે તેઓ તેમના ઘરો ન છોડે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં, પર્વતોમાં અથવા માછલી પકડવા ન જાય. વાવાઝોડાને લીધે તાઇવાનની બે મુખ્ય સ્થાનિક એરલાઇન્સ - UNI એર અને મેન્ડરિન એરલાઇન્સએ આજે તેમની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.
