દક્ષિણ બ્રાઝિલમાં ચક્રવાતને કારણે 11 લોકોના મોત, 20 લોકો ગુમ
Live TV
-
બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલ પ્રદેશમાં ચક્રવાત ત્રાટક્યા બાદ ઓછામાં ઓછા 11 લોકોના મોતા થયા હોવાના સમાચાર મળી રહ્યા છે જ્યારે 20 લોકો ગુમ થયા છે, તેમ બ્રાઝિલ સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું. વાવાઝોડાને કારણે ભારે વરસાદ ખાબક્યો હતો અને ગુમ થયેલા અન્ય 20 લોકોને શોધવા માટે પૂરગ્રસ્ત વિસ્તારોમાં હેલિકોપ્ટરની શોધ ચાલી રહી છે, તેમ રિયો ગ્રાન્ડે દો સુલની સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. ચક્રવાતના માર્ગ પર સૌથી વધુ અસરગ્રસ્ત પૈકીનું એક 8,000 થી વધુ લોકોની વસ્તી ધરાવતું કેરા શહેર હતું. આ વિસ્તારની મુલાકાત લેનાર રિયો ગ્રાન્ડે દો સુલના ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે જણાવ્યું હતું કે, "કારાની પરિસ્થિતિ અમને ખૂબ જ ચિંતિત કરે છે. તે જરૂરી છે કે આપણે સંગઠિત રીતે, મુખ્ય અસરગ્રસ્ત વિસ્તારોને ઝડપથી નકશા બનાવી શકીએ અને એવા લોકોને ઓળખી શકીએ જેમને સહાયની જરૂર છે." .ડ્રોનથી દક્ષિણ બ્રાઝિલના વિસ્તારને જોતા સમગ્ર શહેર પાણી ભરાયો દેખાય છે. રાજ્યના ગવર્નર એડ્યુઆર્ડો લીટે જણાવ્યું હતું કે ઓથોરિટીએ છેલ્લા બે દિવસમાં 2,400 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોના ઘણા રહેવાસીઓએ તેમના નગરોમાં આઉટડોર સ્પોર્ટ્સ સુવિધાઓમાં આશ્રય લીધો છે. અધિકારીઓએ અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનના જોખમની ચેતવણી જારી કરી છે. બ્રાઝિલમાં જીવલેણ પૂર સામાન્ય છે અને દાયકાઓથી વિનાશનું કારણ બને છે.
