પાકિસ્તાનઃ ખૈબર પખ્તુનખ્વામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 50 લોકોનાં મોત
Live TV
-
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક રાજકીય રેલીમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક રાજકીય રેલીમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા અને લગભગ 100 જેટલા લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, આ હુમલો જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ પાર્ટીના કાર્યકરોની બેઠકમાં થયો હતો. મળતી માહિતી મુજબ ઘાયલોમાં ઘણાની હાલત નાજુક હોવાથી મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે. જો કે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
