નાઈજીરીયામાં સૈન્ય શાસન લાગુ થતાં ફ્રેન્ચ દૂતાવાસ પર લોકોએ કર્યો હુમલો
Live TV
-
નાઈજરીયામાં સૈન્ય શાસન લાગુ થયા બાદ લોકોએ ફ્રાન્સ પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
નાઈજરીયામાં સૈન્ય શાસન લાગુ થયા બાદ લોકોએ ફ્રાન્સ પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. લશ્કરી બળવાના હજારો સમર્થકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા નાઇજરીયામાં ફ્રેન્ચ દૂતાવાસ પર હુમલો કર્યો અને તોડફોડ કરી. તેઓએ ફ્રાન્સ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
આ સાથે જ ફ્રેન્ચ એમ્બેસીમાં પણ હિંસક દ્રશ્યો જોવા મળ્યા હતા. દેખાવકારોએ દૂતાવાસને નુકસાન પહોંચાડ્યું હતું અને રશિયન અને નાઇજિરિયન ઝંડા લગાવી દીધા હતા. તો લોકોએ રશિયાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ નાઈજર પોલીસ અધિકારીઓએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યા હતા.
