પાકિસ્તાનના ખૈબર પખ્તૂન પ્રાન્તનામાં બોમ્બ વિસ્ફોટમાં 40 લોકોના મૃત્ય, જ્યારે 150થી વધુ લોકો થયા ઘાયલ
Live TV
-
પાકિસ્તાનના ખૈબર પખ્તૂન પ્રાતમાં રાજકીય સભામાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. ઘટનામાં 40થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 150થી વધુ લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાના ખૈબર પખ્તૂન પ્રાન્તના બાજૌડની એક રાજકીય સભામાં કેટલાક આતંકીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટ કરાવામાં આવ્યો હતો. બોમ્બ વિસ્ફોટની આ ઘટનામાં 40થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જમીયત ઉલેમા-એ-ઇસ્લામ દ્વારા રવિવારે કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. તેમાં આ વિસ્ફોટ થયો હતો. બોમ્બ વિસ્ફોટ થતા ઘટના સ્થળે ભાગદોડ મચી હતી. બનાવ બાદ ધાયલોને સારવાર અર્થે હોસ્પિટલ પહોચાડવામા આવી રહ્યાં છે. બોમ્બ વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઇ આતંકી સંગઠને લીધી નથી. સુરક્ષાદળોએ આ વિસ્તારને કોડર્ન કરીને તપાસ શરૂ કરી છે. સત્તાવાર અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઘટનામાં હજુ મૃત્યુ આંક વધી શકે છે.
