પાકિસ્તાને પણ મસૂદ અઝહરને જાહેર કર્યો પ્રતિબંધિત
Live TV
-
આતંરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાય બાદ પાકિસ્તાને ભર્યુ પગલું
ચીને પોતાનો વાંધો પાછો લીધા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધક કમિટિએ જૈશ-એ- મહોમંદ પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. આ પ્રતિબંધ બાદ મસૂદના પ્રવાસ ઉપર પ્રતિબંધ રહેશે અને તેની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. તેમજ તેને કોઈપણ પ્રકારની આર્થિક સહાયતા મળશે નહીં. આ બાબતે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રમેશકુમારે જણાવ્યું છે કે, મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં પુલવામા આતંકી હુમલાની પણ ભૂમિકા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રની એક, બે , છ અને સાત પ્રબંધક સમિતિમાંથી ચીને પોતાનો વાંધો પાછો ખેંચી દર્શાવ્યું છે કે, આતંકવાદ અને તેનું સમર્થન કરનાર સામેની લડાઈમાં આંતરરાષ્ટ્રીય સમુહદાય એક જુથ છે. દરમિયાન સંયુકત રાષ્ટ્ર દ્વારા જૈશ સરગના મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાયા બાદ પાકિસ્તાને મસુદ અઝહરને પ્રતિબંધિત જાહેર કર્યો છે
