પાકિસ્તાન: પંજાબના ભૂતપૂર્વ શાસક મહારાજા રણજીતસિંહની પ્રતિમા તોડી નાખવામાં આવી
Live TV
-
પાકિસ્તાનના લાહોરમાં લગાવાયેલી પ્રતિમાને એકવાર ફરી તોડી નાખવામાં આવી છે. આ હુમલો તહેરીક-એ-લબ્બાઈક પાકિસ્તાન (TLP)ના લોકો દ્વારા કરવામાં આવ્યો છે.
પંજાબના ભૂતપૂર્વ શાસક મહારાજા રણજીતસિંહની પાકિસ્તાનના લાહોરમાં લગાવાયેલી પ્રતિમાને એકવાર ફરી તોડી નાખવામાં આવી છે.. આ હુમલો તહેરીક-એ-લબ્બાઈક પાકિસ્તાન (TLP)ના લોકો દ્વારા કરવામાં આવ્યો છે. મહારાજા રણજીત સિંહની 9 ફૂટ ઊંચી તાંબાની મૂર્તિ વર્ષ 2019માં લગાવવામાં આવી હતી. ભારતે આ ઘટનાને વખોડી કાઢતા જણાવ્યું છે કે, આ ઘટના નિંદનીય છે, પાકિસ્તાન લઘુમતી સમુદાયના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને જાળવવામાં અને હુમલો અટકાવવામાં નિષ્ફળ રહ્યું છે. ભારતે પાકિસ્તાનને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા અને પ્રતિમાને પુન: સ્થાપિત કરવા કહ્યું છે.
