પોપે જાતીય સતામણી સંબંધિત માહિતીને લગતા નિયમોમાં કર્યા ફેરફાર
Live TV
-
ચર્ચમાં જાતીય સતામણીની સમસ્યા હલ કરવાના દબાણને કારણે પોપે જાતીય સતામણીથી સંબંધિત માહિતી છુપાવવાના નિયમોમાં ફેરફાર કર્યા.
પોપે જાહેર કર્યું છે કે સગીરનું જાતીય શોષણ કરવાના કેસમાં 'પોન્ટિફિકલ સિક્રેસી' એટલે કે 'પોપ સંબંધિત બાબતોની ગુપ્તતા' નો નિયમ લાગુ થશે નહીં. ચર્ચનું કહેવું છે કે આવા કેસોમાં પારદર્શિતા આવે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. અગાઉ, ચર્ચમાં જાતીય શોષણના કેસોમાં વારંવાર પડદો પડતો હતો. ચર્ચે કહ્યું કે આ પગલું પીડિતોની ગુપ્તતા અને આરોપીઓની પ્રતિષ્ઠાને સુરક્ષિત રાખવા માટે લેવામાં આવ્યું છે.
મંગળવારે જાહેર થયેલા પોપ સાથે સંબંધિત નવા દસ્તાવેજો અનુસાર, હવે જે લોકો તેમની સાથે પરેશાનીની ફરિયાદ કરે છે અથવા એમ કહે છે કે તેઓ ભોગ બન્યા છે તેમને પ્રતિબંધિત કરવામાં આવશે નહીં. ફેબ્રુઆરીમાં વેટિકન સમિટમાં, ચર્ચના ધાર્મિક નેતાઓએ તેનાથી સંબંધિત નિયમોને નાબૂદ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે આ નિયમોને નાબૂદ કરવાથી આવા કેસોમાં પારદર્શિતા આવશે, સાથે જ પોલીસ અને ન્યાયિક સંસ્થાઓ ચર્ચ પાસેથી માહિતી મેળવી શકશે, જેનાથી તેમનું કાર્ય સરળ બનશે.
