પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચમા વૈશ્વિક વ્યાપાર શિખર સંમેલનમાં લીધો ભાગ
Live TV
-
પ્રધાનમંત્રીએ પાંચમી ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે ભારત દેશ અત્યારે અગાઉની સરખામણીએ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના તાજ પેલેસમાં યોજાયેલા પાંચમા વૈશ્વિક વ્યાપાર શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. બે દિવસીય શિખર સંમેલનનો આજે બીજો તથા અંતિમ દિવસ છે. પ્રધાનમંત્રીએ પાંચમી ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે ભારત દેશ અત્યારે અગાઉની સરખામણીએ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અત્યારે વિકાસને લઇને જે પ્રતિસ્પર્ધા છે તે અગાઉની સરકારોમાં ભ્રષ્ટાચારમાં પ્રતિસ્પર્ધા હતી. તેમણે જણાવ્યું હતું કે નવા પ્રકારની શાસન પદ્ધતિથી દેશમાં આવેલો બદલાવ સ્પષ્ટ જોઇ શકાય છે. વર્ષ 2014 બાદ લોકોના વિચારોમાં જે અવઢવ હતી તે હવે આશામાં બદલાઇ છે. ભારતની અર્થવ્યવસ્થાએ તમામ ક્ષેત્રોમાં હરણફાળ ભરી છે. વેપારીઓએ કોઇ જ પ્રકારનો ,ઇન્કમટેક્સ ભરવાનો નથી આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. છેલ્લા સાડા ચાર વર્ષમાં પેટન્ટ તથા ટ્રેડમાર્કની બાબતોમાં વધારો થયો છે.
