ગુજરાતમાંથી હવે પાકિસ્તાનને નિકાસ કરાતા તમામ શાકભાજી પર પ્રતિબંધ
Live TV
-
પુલવામા હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પગલે ગુજરાતના વેપારીઓએ પણ રાષ્ટ્રહિતમાં પાકિસ્તાનનાં દાંત ખાટા કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત ગુજરાત વેજીટેબલ એક્સપોર્ટ યુનિયન દ્વારા નિર્ણય લેવાયો છે કે ગુજરાતમાંથી હવે પાકિસ્તાનને તમામ શાકભાજીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વેપારીઓનું કહેવું છે કે હવે પાકિસ્તાનને ખબર પડશે કે આતંકવાદને સમર્થન કેટલી હદે નુકસાન કરી શકે છે.
