પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઈજિપ્ત પ્રવાસનો બીજો અને અંતિમ દિવસ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ઈજિપ્તના પ્રવાસે છે. જ્યાં તેમને મિસ્રના સર્વોચ્ચ સમ્માન મળ્યું છે. પ્રધાનમંત્રી મોદીને 'Order of the Nile'થી સન્માનિત કરવામાં આવ્યા. ઈજિપ્તના મહાનુભવોએ પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ અલ સીસી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે વિવિધ મુદ્દે કરારો થયા હતા. વેપાર અને રોકાણ, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, આઈટી, ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ, ફાર્મા અને લોકો વચ્ચેના સંબંધો જેવા ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા થઈ. પ્રધાનમંત્રીએ ઈન્ડિયા યુનિટની સ્થાપનાની પ્રશંસા કરી અને ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટેના આ 'સમગ્ર સરકારી અભિગમ'ને આવકાર્યો અને પરસ્પર હિતના વિવિધ ક્ષેત્રોમાં ઈજિપ્ત સાથે નજીકથી કામ કરવાની ભારતની તૈયારીને શેર કરી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત ઇજિપ્તના સામાજિક ન્યાય મંત્રાલય હેઠળ દાર-અલ-ઇફ્તા ખાતે આઇટીમાં શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપના કરશે. આ સાથે ઈજિપ્તની રાજધાની કૈરોમાં વિવિધ મહાનુભવો સાથે પણ પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી હતી. તેમણે ઈજિપ્તની સૌથી મોટી કંપનીઓમાંથી એક હસન આલમ હોલ્ડિંગ કંપનીના CEO હસન આલમ સાથે મુલાકાત કરી હતી. તેમણે પુનઃપ્રાપ્ય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓ સાથે ગાઢ સહકાર બનાવવાની શક્યતાઓ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ ઇજિપ્તના અગ્રણી યોગ પ્રશિક્ષકો રીમ જબાક અને નાદા એડેલ સાથે પણ મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ યોગ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે તેમની પ્રશંસા કરી અને તેમને ભારતની મુલાકાત લેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેઓએ પ્રધાનમંત્રીને ઈજીપ્તમાં યોગ પ્રત્યેના ભારે ઉત્સાહની જાણકારી આપી હતી. ઇજિપ્તના ગ્રાન્ડ મુફ્તી, મહાનુભાવ ડૉ. શૌકી ઇબ્રાહિમ આલમને પણ પ્રધાનમંત્રી મળ્યા હતા.ગ્રાન્ડ મુફ્તીએ તેમની તાજેતરની ભારત મુલાકાતને પ્રેમપૂર્વક યાદ કરી, અને ભારત અને ઇજિપ્ત વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. ગ્રાન્ડ મુફ્તીએ સર્વસમાવેશકતા અને બહુલવાદને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી. ચર્ચાઓ સમાજમાં સામાજિક અને ધાર્મિક સંવાદિતા અને ઉગ્રવાદ અને કટ્ટરપંથીનો સામનો કરવા સંબંધિત મુદ્દાઓ પર પણ કેન્દ્રીત હતી.
ઇજિપ્તની મુલાકાત દરમિયાન તેમણે ભારતીય સમુદાયના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો.તેમની સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીએ ભારત-ઈજિપ્ત સંબંધોને મજબૂત કરવા તેમના યોગદાન માટે સમુદાયની પ્રશંસા કરી હતી. ભારતીય ડાયસ્પોરાના 300થી વધુ સભ્યો, જેમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીની ઇજિપ્તના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ઇજિપ્તની કેબિનેટના "ભારત એકમ" સાથે બેઠક યોજાઈ હતી. આ ભારત એકમની સ્થાપના આ વર્ષની શરૂઆતમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિની સ્ટેટ વિઝિટ બાદ કરવામાં આવી હતી. મહત્વનું છે કે અબ્દુલ ફતેહ અલ-સીસી પ્રજાસત્તાક દિવસ 2023 માટે મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યા હતા. ભારત એકમનું નેતૃત્વ ઇજિપ્તના પ્રધાનમંત્રી મુસ્તફા મદબૌલી કરે છે, અને તેમાં સંખ્યાબંધ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી મેડબૌલી અને તેમના કેબિનેટ સાથીદારોએ ભારત એકમ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી અને સહકારના નવા ક્ષેત્રોની દરખાસ્ત કરી હતી. તેઓએ તેમના ભારતીય સમકક્ષોના સકારાત્મક પ્રતિસાદની પ્રશંસા કરી અને અસંખ્ય ક્ષેત્રોમાં ભારત-ઇજિપ્ત દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે આતુર હોવાનું કહ્યું હતું.
