બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રમઝાન દરમિયાન ઘરેથી જ નમાઝ પઢવાની કરી અપીલ
Live TV
-
દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 266 લોકોએ ચેપની પુષ્ટિ થઈ છે
બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ મુસ્લિમોને રમઝાન દરમિયાન તેમના ઘરોમાં નમાઝ અદા કરવા માટે
અપીલ કરી છે. ગઈકાલે, વીડિયો કોન્ફરન્સ દરમિયાન અધિકારીઓ અને જન પ્રતિનિધિઓ સાથે વાત કરતા
વડા પ્રધાને કહ્યું હતું કે સાઉદી અરેબિયા જેવા અન્ય મુસ્લિમ દેશોની જેમ બાંગ્લાદેશના લોકોએ પણ ફક્ત
તેમના ઘરોમાં જ નમાઝ અદા કરવી જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે નમાઝ ગમે ત્યાં અદા કરી શકાય છે.
તેમણે લોકોને યાદ અપાવ્યું કે વેટિકન સિટીમાં પણ આવી જ પહેલ કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં શુક્રવારે
કોવિડ -19 નો સૌથી વધુ ચેપ સામે આવ્યા હતા. દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 266 લોકોએ ચેપની પુષ્ટિ
કરી છે, જ્યારે પંદર લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, દેશમાં ચેપથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 75 પર
પહોંચી ગઈ છે. દેશમાં કુલ 1,838 ચેપગ્રસ્ત લોકોમાંથી 58 લોકો સાજા થયા છે.
