બાંગ્લાદેશમાં પ્રધાનમંત્રીના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન
Live TV
-
બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના હજારો સમર્થકોએ રાજધાનીમાં રેલી કાઢી પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામાની માંગ કરી હતી અને સામાન્ય ચૂંટણીઓની પણ માગ સરકાર સમક્ષ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્ય વિરોધ પક્ષના નેતા ખાલિદા ઝિયાને 2018માં ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા ત્યારથી વિરોધ થઈ રહ્યો છે. તેણે તાજેતરના મહિનાઓમાં મોટી વિરોધ રેલીઓ યોજી છે, જેમાં જીવનનિર્વાહના ખર્ચ પર વધતા ગુસ્સા વચ્ચે હજારો સમર્થકોને આકર્ષિત કર્યા હતાં. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ (બીએનપી) પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામની માગણી કરી છે. આગામી ચૂંટણી જાન્યુઆરી 2024માં તટસ્થ સંભાળ રાખનાર સરકાર હેઠળ ચૂંટણી યોજવાની માગણી કરી હતી, જેના સરકારે નકારી કાઢી હતી. "BNPની માંગ બાંગ્લાદેશમાં લોકશાહીની પુનઃસ્થાપના કરવાની છે. આ માત્ર મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે, જે વર્તમાન શાસન હેઠળ શક્ય નથી," BNPના વરિષ્ઠ નેતા અબ્દુલ મોઈન ખાને જણાવ્યું હતું. બાંગ્લાદેશમાં લોકોની સરકાર સ્થાપવા માટે વચગાળાની સરકારને નેતૃત્વ હેઠળ સ્વતંત્ર અને પ્રમાણિક ચૂંટણી થવી જોઈએ, જેના માટે સરકારને રાજીનામું આપવું પડશે. ઉલ્લેખનીય છે કે, 2014 અને 2018ની રાષ્ટ્રીય ચૂંટણીઓ બાદ વોટ હેરાફેરીના આરોપો અને વિપક્ષોને નિશાન બનાવ્યા બાદ સ્થિતિ વણસી છે. વિપક્ષનો દાવો છે કે છેલ્લી બે ટર્મમાં શેખ હસીનાએ ચૂંટણી યોગ્ય રીતે યોજી નથી. જો કે, હસીના સરકાર આ આરોપોને ફગાવી દીધા છે. શેખ હસીના 2009માં સત્તામાં આવ્યા બાદથી તેમણે દેશની વ્યવસ્થાને કડક નિયંત્રણમાં રાખી છે.
