બ્રિટનના PM ઋષિ સુનકે પત્ની સાથે અક્ષરધામ મંદિરમાં દર્શન કર્યા
Live TV
-
સુનકે પત્ની સાથે અક્ષરધામ મંદિરે પૂજા-અર્ચના કરી અને સંતો સાથે પણ મુલાકાત કરી
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે આજે (10 સપ્ટેમ્બર) દિલ્હીના અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. સ્વામિનારાયણ મંદિરના મુખ્ય પૂજારીએ બંનેનું સ્વાગત કર્યું અને પછી મુખ્ય મંદિરમાં લઈ જઈ પૂજા અર્ચના કરી હતી.ઋષિ અને તેમની પત્ની 45 મિનિટ સુધી મંદિરમાં રોકાયા હતા. જો કે તેમના મંદિર દર્શનની તસવીરો હજુ સુધી સામે આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે મુખ્ય મંદિરની પાછળ આવેલ અન્ય મંદિરમાં જલાભિષેક કર્યો હતો.તેમની સુરક્ષા માટે મંદિરની અંદર અને બહાર સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી.
