બ્રિટન અને પુરોપીય સંઘ વચ્ચે બ્રેક્ઝિટ વ્યાપાર માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા
Live TV
-
કેટલાય દિવસો પછી બ્રિટન અને પુરોપીય સંઘ વચ્ચે બ્રેક્ઝિટ વ્યાપાર માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.
આ સમજૂતીને લઇ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને લંડનમાં આ સમજૂતીને સ્વીકારતા કહ્યું હતું, કે બ્રિટને એક વર્ષમાં 668 કરોડ પાઉન્ડની સમજૂતીઓ કરી છે. જે યુરોપ ખંડ માટે ફાયદાકારક બની રહેશે. આ સમજૂતી માટે બ્રિટનમાં આગામી 31 ડિસેમ્બરે મતદાન માટે બ્રિટન સંસદની બેઠક પણ બોલાવવામાં આવશે.
યુરોપીય દેશો માટે આ વ્યાપાર સમજૂતી સારા પરિણામો લાવી શકશે
બ્રાઝીલમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા યુરોપીય આયોગ અધ્યક્ષ લેયોને કહ્યું હતું, કે યુરોપીય દેશો માટે આ વ્યાપાર સમજૂતી સારા પરિણામો લાવી શકશે. કેટલાય સમયથી આ સમજૂતીઓ પર વિચાર થઇ રહ્યો છે. જેનો આજે અંત આવ્યો છે. ક્રિસમસનો તહેવાર આ સમજૂતી થતા યુરોપીય દેશો માટે ભેટ સમાન છે.
