Skip to main content
Settings Settings for Dark

ભારતીય માછીમારની હત્યા પર ભારતે પાકિસ્તાન સામે ઉગ્ર વિરોધ કર્યો; તપાસની કરી માંગ 

Live TV

X
  • ભારતે ગઇ કાલે પાકિસ્તાન હાઈ કમિશનના વરિષ્ઠ રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું અને બે દિવસ પહેલા પાકિસ્તાની શિપિંગ સુરક્ષા એજન્સી દ્વારા અરબી સમુદ્રમાં “નિર્દોષ” ભારતીય માછીમારની હત્યા પર સખત વિરોધ નોંધાવ્યો હતો.

    આ નિંદાત્મક કૃત્યની નિંદા કરતા, ભારતે પાકિસ્તાનને આ ઘટનાની તપાસ કરવા અને તેના દળોને બિન ઉશ્કેરણીજનક ગોળીબાર ટાળવા સૂચના આપવા કહ્યું, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

    પાકિસ્તાનની દરિયાઈ સુરક્ષા એજન્સીએ શનિવારે અરબી સમુદ્રમાં ભારતીય માછીમારીની બોટ પર ગોળીબાર કર્યો હતો. જેમાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. “પાકિસ્તાન હાઈ કમિશનના એક વરિષ્ઠ રાજદ્વારીને આજે વિદેશ મંત્રાલય દ્વારા બોલાવવામાં આવ્યો હતો અને ભારતીય માછીમારો પર ઉશ્કેરણી વગરના ગોળીબારની ઘટના પર સખત વિરોધ નોંધાવ્યો હતો,” એક સૂત્રએ જણાવ્યું હતું.

    એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની કાઉન્સેલર (રાજકીય)ને વિદેશ મંત્રાલયે હાઈ કમિશનમાંથી બોલાવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે ભારત સરકારે ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ કરવા બદલ પાકિસ્તાની એજન્સીની નિંદા કરી.

    “એ પુનરોચ્ચાર કરવામાં આવે છે કે પાકિસ્તાનના અધિકારીઓએ માછીમારોના મુદ્દાને માનવતાવાદી અને આજીવિકાના મુદ્દા તરીકે ધ્યાનમાં લેવો જોઈએ. પાકિસ્તાન સરકારને પણ આ ઘટનાની તપાસ કરવા અને તેના દળોને ઉશ્કેરણી વગરના ગોળીબારના આવા કૃત્યોથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

    સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની એજન્સીએ ભારતીય માછીમારી બોટ ‘જલપરી’ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ભારતીય માછીમારનું મોત થયું હતું અને અન્ય એક માછીમાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના શનિવારે સાંજે લગભગ 4 વાગે ઈન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઈનની નજીક બની હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply