ભારતે 'ઓપરેશન દોસ્ત' હેઠળ તુર્કીને ખાસ મદદ મોકલી
Live TV
-
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 12000 થઈ
તૂર્કી અને સિરીયામાં આવેલા વિનાશક ભૂંકપમાં પ્રભાવિત લોકો માટે ભારત મદદ માટે આગળ આવ્યું છે . ભારતે 'ઓપરેશન દોસ્ત' હેઠળ તુર્કીને 6 IAF એરક્રાફ્ટ, NDRFની ત્રણ બચાવ ટીમો, દવાઓ અને સાધનો મોકલ્યા છે. આ સિવાય સ્પેશિયલ રેસ્ક્યુ ડોગ સ્ક્વોડ અને ભારતીય સેનાની મેડિકલ ટીમ પણ પહોંચી છે. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 12000 થઈ છે. રાહત એજન્સીઓ અને બચાવકર્મીઓએ ચેતવણી આપી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે અને ભૂકંપ પછી, કાટમાળની આસપાસ નબળી પડી ગયેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી ઇમારતો ધરાશાયી થવાની પણ સંભાવના છે.
