ભારત અને ઇજિપ્ત વચ્ચે સંરક્ષણ ઉદ્યોગોના સહકારવિસ્તરણ માટે સમંતિ થઇ
Live TV
-
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કૈરોમાં તેમના ઇજિપ્તના સમકક્ષ જનરલ મોહમ્મદ ઝાકી સાથે મુલાકાત કરી હતી. તેઓએ દ્વિપક્ષીય સંરક્ષણ જોડાણોને વધુ વિસ્તૃત કરવા માટે અનેક પહેલો પર વ્યાપક ચર્ચા કરી હતી. બંને મંત્રીઓએ સંરક્ષણ સહયોગ પર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. એક ટ્વિટમાં, રાજનાથ સિંહે કહ્યું, સમજૂતી કરાર પર હસ્તાક્ષર ભારત-ઇજિપ્ત સંબંધોમાં નવી ગતિ અને તાલમેલ ઉમેરશે.
