ભારત અને યુનાઈટેડ યુએઈએ વેપાર સુવિધાને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે પરસ્પર માન્યતા વ્યવસ્થા પર હસ્તાક્ષર કર્યા
Live TV
-
ભારત અને યુનાઈટેડ આરબ અમીરાત-યુએઈએ બંને દેશો વચ્ચે વધુ વેપાર સુવિધાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે અધિકૃત આર્થિક ઓપરેટર્સ માટે પરસ્પર માન્યતા વ્યવસ્થા પર હસ્તાક્ષર કર્યા છે. આજે બ્રસેલ્સમાં વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઈઝેશન (WCO)ની કસ્ટમ્સ કોઓપરેશન કાઉન્સિલની બેઠકમાં આ કરાર પર ઔપચારિક હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ વ્યવસ્થા ભારત અને UAE વચ્ચે આર્થિક સહયોગમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. આનાથી ગાઢ સંબંધોને પ્રોત્સાહન મળશે અને દ્વિપક્ષીય વેપારના વિકાસમાં મદદ મળશે અને તેમની વચ્ચે વાણિજ્ય અને રોકાણને પ્રોત્સાહન મળશે.
