ભારત આજે શાંઘાઇ સહયોગ સંગઠનની 19મી બેઠકનું યજમાન પદ સંભાળશે
Live TV
-
ભારત આજે શાંઘાઇ સહયોગ સંગઠન એસ.સી.ઓ.ના દેશોના શાસન અધ્યક્ષોની મળી રહેલી 19મી બેઠકનું યજમાન પદ સંભાળશે. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાડયુ આ બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે. આ બેઠક ભારતની અધ્યક્ષતામાં પહેલી વાર યોજાઇ રહી છે. ભારતે વર્ષ 2017માં સંગઠનનું પુર્ણ સભ્યપદ હાંસલ કર્યું હતું. શાંઘાઇ સહયોગ સંગઠનમાં મુખ્યત્વે વેપાર અને આર્થિક એજન્ડા પર ધ્યાન આપવામાં આવે છે. ભારતે ગયા વર્ષે બે નવેમ્બરના રોજ શાંઘાઇ સંગઠન પરિષદના પ્રમુખોની ઉપસ્થિતીમાં તત્કાલિન અધ્યક્ષ ઉઝબેકિસ્તાન પાસેથી અધ્યક્ષપદ સંભાળ્યું હતું. અધ્યક્ષપદે ભારતનો એક વર્ષનો કાર્યકાળ 30 નવેમ્બરે પુરો થશે.
