ભારત સંભાળશે આગામી જી-20 સંમેલનનું યજમાન પદ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના ટોચના નેતાઓ સાથે મળી દ્રિપક્ષીય ચર્ચા કરી જેમાં વિવિધ મુદ્દા અને દ્રિપક્ષીય સંબંધો મજબૂત કરવા ચર્ચા કરાઈ
આર્જેટીના ખાતે યોજાયેલ જી-20 સંમેલનમાં સમાપન પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના ટોચના નેતાઓ સાથે મળી દ્રિપક્ષીય ચર્ચા કરી હતી. જેમાં તેઓએ આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ મારીસીયોઓ મકરી, જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ અને દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સાયરિલ રામાફોસ સાથે બેઠક કરી હતી. જેમાં વિવિધ મુદ્દા અને દ્રિપક્ષીય સંબંધો મજબૂત કરવા ચર્ચા કરી હતી. આ સાથે તેમણે જાહેરાત કરી હતી કે વર્ષ 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ થઈ રહ્યાં છે તે પ્રસંગે, ભારત જી-20 સંમેલનનું યજમાન પદ સંભાળશે. આ પૂર્વે પીએમ મોદીએ આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ મારીસીયોઓ મકરી, જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ અને દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સાયરિલ રામાફોસ સાથે બેઠક કરી હતી. જેમાં વિવિધ મુદ્દા અને દ્રિપક્ષીય સંબંધો મજબૂત કરવા ચર્ચા કરી હતી. આ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરિસીયો મકરી સાથે મળીને, કૃષિ, સંરક્ષણ, તેલ અને ગેસ તથા અણુ ઊર્જા અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ યુરોપિયન કાઉન્સિલ પ્રમુખ ડોનાલ્ડ ડસ્ક અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ જીન ક્લોડર સાથે પણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી
