ભારત હવે બચવામાં નહીં પરંતુ નિર્ણય લેવામાં વિશ્વાસ રાખે છે: વિદેશ મંત્રી
Live TV
-
વિદેશ મંત્રી એસ જયશંકરે રાયસિના ડાયલોગમાં જણાવ્યું, કે અમે આતંકવાદ સામે , સખત પગલા લઇ રહ્યાં છીએ. હવે અમે બચવાની કોશિશ કરનાર નહીં , પરંતુ કડક અને અડગ નિર્ણય લેનાર બનીશું,. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે, એક સમય હતો જયારે આપણે કામની તુલનામાં , વાતો વધુ કરતા હતા. પરંતુ હવે પરિવર્તન આવી રહ્યું છે. બીજી તરફ રાયસિના ડાયલોગમાં , રશિયાના વિદેશ મંત્રીએ જણાવ્યું , કે સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં , ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા હોવી જોઇએ. નોંધનિય છે કે, વૈશ્વિક પડકાર , અને ભારતની ભૂમિકાને લઇને થતાં ,, પ્રતિષ્ઠિત રાયસીના ડાયલોગના આ પાંચમાં સંસ્કરણની , મંગળવારથી શરૂઆત થઇ ગઇ છે. આ સંમેલનમાં , 100 દેશોના પ્રતિષ્ઠિત મહાનુભાવો ભાગ લઇ રહ્યાં છે. જે દુનિયા સામેના પડકારો અંગે , તેમના મતો રજૂ કરી રહ્યાં છે
