મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને આપવામાં આવ્યો નોબલ શાંતિ પુરસ્કાર 2021
Live TV
-
ફિલિપાઈન્સના મારિયા રેસા અને રશિયાના દિમિત્રી મુરાટોવ નામના બે પત્રકારોને વર્ષ 2021 નો શાંતિનો નોબલ પુરસ્કાર જાહેર કરાયો છે. આ બંને પત્રકારોને અભિવ્યક્તિની સ્વતંત્રતા, લોકશાહીની પૂર્વશરત અને કાયમી શાંતિના રક્ષણના પ્રયાસો માટે શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે, નોબેલ શાંતિ પુરસ્કાર અને અન્ય નોબેલ પુરસ્કારો સ્વીડિશ શોધક અને ઉદ્યોગપતિ આલ્ફ્રેડ નોબેલ દ્વારા તેમની અંતિમ ઇચ્છા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર નોર્વેના ઓસ્લો ખાતે દર 10 મી ડિસેમ્બરે એનાયત કરવામાં આવે છે.
