ભારતથી બ્રિટન જતા લોકોને 11 ઓક્ટોબરથી નહીં રહેવું પડે ક્વોરેન્ટાઇન
Live TV
-
ભારતથી બ્રિટન જતા લોકોને 11 ઓક્ટોબર પછી ત્યાં ક્વોરન્ટીન નહીં રહેવું પડે. જો કે આ લોકોને કોવિશીલ્ડ કે અન્ય કોઈ જેને બ્રિટને માન્યતા આપી છે તે વેક્સિન લીધી હોય તે જરૂરી છે. બ્રિટને નરમ વલણ અપનાવાતા ક્વોરેન્ટાઇન થવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. ભારતમાં બ્રિટનના રાજદૂત એલેક્સ એલિસે ટ્વીટ કરી બ્રિટન દ્વારા યાત્રા નિયમોમાં થયેલા ફેરફારની જાણકારી આપી છે. ભારતમાં બ્રિટનના એમ્બેસેડર એલેક્સ એલિસે ટ્વિટ કરી કહ્યું કે, ભારતથી બ્રિટન જતા ભારતીયો માટે ક્વોરેન્ટાઇન થવાના કોઈપણ જાતના નિયમો લાગુ નહીં પડે. તેઓએ કોવિશીલ્ડ કે યુકે દ્વારા માન્ય વેક્સિન લીધી હોવી જરૂરી છે. આ નિયમ 11 ઓક્ટોબરથી લાગુ થશે. આ સાથે જ બ્રિટન સરકારે ભારત સરકારનો ગત મહિનાથી આપવામાં આવેલા સહયોગ બદલ આભાર પણ માન્યો છે.
