યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત વૈકલ્પિક માધ્યમો પર કામ કરી રહ્યું છેઃ વી. મુરલીધરન, વિદેશ રાજ્યમંત્રી
Live TV
-
વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને કહ્યું છે કે, કેન્દ્ર સરકાર રશિયન લશ્કરી કાર્યવાહી વચ્ચે યુક્રેનિયન એરસ્પેસ બંધ થયા બાદ ત્યાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા યુદ્ધના ધોરણે વૈકલ્પિક પગલાં પર કામ કરી રહી છે.
આજે ત્રિશૂરમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, લગભગ 18,000 ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ભારતમાં તેમના માતા-પિતાને ગભરાવાની જરૂર નથી તેવી સાંત્વના પાઠવી છે.
વી. મુરલીધરને કહ્યું કે સરકારે કિવમાં ભારતીય દૂતાવાસને મદદ કરવા માટે વધુ રાજદ્વારીઓને મોકલવાનો પણ નિર્ણય કર્યો છે.
