સરકાર દ્વારા 31 ઓક્ટોબર સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લાંબાવાયો
Live TV
-
નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય- DGCA એ નિયમિત આંતરરાષ્ટ્રીય વ્યાપારી પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે. ડીજીસીએના પરિપત્રમાં જણાવાયું છે કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન્સ અને ખાસ કરીને ડિરેક્ટોરેટ જનરલ દ્વારા મંજૂર કરાયેલી ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં. ઉડ્ડયન નિયમનકારે જણાવ્યું હતું કે કેસની યોગ્યતાને આધારે સક્ષમ અધિકારી દ્વારા પસંદગીના રૂટ પર નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની મંજૂરી આપવામાં આવી શકે છે. કોવિડના ફેલાવાને રોકવા માટે કેન્દ્રએ ગયા વર્ષે 23 માર્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. એર બબલ વ્યવસ્થા હેઠળ કેટલાક દેશો સાથે બાદમાં ફ્લાઇટ પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો હતો. ભારત ઘણા દેશો સાથે વંદે ભારત ફ્લાઇટ પણ ચલાવી રહ્યું છે.
