સુદાનમાં ચાલી રહેલા સધર્ષમાં અત્યાર સુધી 270 લોકોએ ગુમાવ્યા જીવ
Live TV
-
સુદાનની રાજધાની ખાર્તુમ બુધવારે પણ બોમ્બ ધમાકા અને ગોળાબારીથી ધણધણી જોવા મળી હતી. સુદાનની સેના અને એક પ્રતિદ્વંદી અર્ધ સૈનિક દળ વચ્ચેના સંઘર્ષમાં મંગળવારે ૨૪ કલાક માટેના સંઘર્ષ વિરામ માટે સહમત થયા હતા. જો કે, તેનું પાલન ન થતું જોવા મળી રહ્યું છે. સુદાનમાં શનિવારથી શરુ થયેલી લડાઈમાં ઓછામાં ઓછા ૨૭૦ વ્યક્તિઓના મોત થયા છે. જયારે 1800 વધુ વ્યક્તિ ઘાયલ થયા છે. આ લડાઈના કારણે ઘરમાં રહેલા નાગરિકોને રાહત સહાય ન મળતા હતાશ થયા છે. તો કેટલાક લોકો ઘર છોડીને પલાયન થઇ રહ્યા છે.
