1918માં હાઈફાના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને CM વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇઝરાયેલ પ્રવાસના તેમના ચોથા દિવસનો પ્રારંભ 1918 માં હાઇફાના યુદ્ધમાં વિરગતીને વરેલા ભારતીય સેનાનીઓની શહાદતને શ્રધાંજલિ આપીને કર્યો હતો. દર વર્ષે 23 સપ્ટેમ્બર ને હાઇફા દિવસ તરીકે સેનામાં મનાવીને શહીદોને સન્માન પૂર્વક આદરાંજલી અપાય છે.
હાલ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઇઝરાયેલના પ્રવાસે છે. પ્રવાસના ચોથા દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પવિત્ર શહેર એવાં જેરૂસલામ શહેરની મુલાકાત લીધી હતી. અહીં ૮૦૦ વર્ષ કરતા વધુ સમયથી ભારતીયો માટે વિસામો-વિરામ સ્થાન અને ગેસ્ટ હાઉસ એવા ઐતિહાસિક ઇન્ડીયન હોસ્પિસની પણ મૂલાકાત લીધી હતી.યાડ વાશેમ બીજા વિશ્વ યુધ્ધમાં મોતને ભેટેલા યહુદીઓની સ્મૃતિમાં બનાવવામાં આવેલું છે. આ સ્મારકમાં હોલોકૉસ્ટ હિસ્ટ્રી મ્યુઝિયમ, હોલ ઓફ નેમ્સ, આર્ટ ગેલેરી સહિતના સ્થાપત્યોનો સમાવેશ થાય છે.
