UAEના પ્રમુખ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું અવસાન, આજે ભારતમાં રાષ્ટ્રીય શોક
Live TV
-
સંયુક્ત આરબ અમિરાતના પ્રમુખ શેખ અને અબુ ધાબીના શાસક ખલીફા બિન જાયદ અલ નાહયાનનું અવસાન થયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શેખ ખલીફાના અવસાન નિમિત્તે શોકની લાગણી પ્રગટ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, શેખ ખલીફા બિન જાયદના કાર્યકાળમાં બંને દેશોના સંબંધો સુદ્રઢ થયા છે. ભારતે સંયુક્ત આરબ અમીરાતના અવસાન નિમીત્તે આજે 1 દિવસના રાજકીય શોકની જાહેરાત કરી હતી. તમામ સરકારી ઇમારત પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ લહેરાશે.
