આજથી ભારતીય આર્મી ચીફ એમ.એમ. નરવણે નેપાળની ત્રણ દિવસની મુલાકાતે
Live TV
-
ભારતીય સેનાના અધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણે આજે ત્રણ દિવસની નેપાળની યાત્રા પર જઈ રહ્યા છે. નેપાળના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે આર્મી ચીફ.
આજથી 6 નવેમ્બર સુધીની પોતાની નેપાળ યાત્રા દરમ્યાન આર્મી ચીફ નરવણેને નેપાળના માનદ પદવીથી સન્માનિત પણ કરવામાં આવશે. આર્મી ચીફ નરવણેને નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીના હસ્તે નેપાળી સેનાના જનરલની માનદ પદવીથી સન્માનિત કરાશે.
ઉપરાંત આર્મી ચીફ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સાથે પણ મુલાકાત કરશે અને નેપાળી સેનાના બે ફિલ્ડ હૉસ્પિટલને કોવિડ-19 સામે લડવા માટે મેડીકલ સાધનોની સાથે વેન્ટિલેટર્સ પણ પ્રદાન કરશે.
