આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ: ઓપરેશન સિંદૂર અને મહત્વના બિલો પર થશે ચર્ચા
Live TV
-
આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ: ઓપરેશન સિંદૂર અને મહત્વના બિલો પર થશે ચર્ચા
આજથી, 21મી જુલાઈ, 2025 થી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સત્ર 21મી ઓગસ્ટ, 2025 સુધી ચાલશે, જેમાં કુલ 32 દિવસમાં 21 બેઠકો યોજાશે.
ઓપરેશન સિંદૂર બાદનું પ્રથમ સત્ર અને મહત્વના મુદ્દાઓ
"ઓપરેશન સિંદૂર" બાદ સંસદનું આ પહેલું સત્ર છે. આ સત્ર દરમિયાન 15 થી વધુ બિલો સંસદના પટલ પર રજૂ કરવામાં આવશે. જેમાં ઇન્કમ ટેક્સ બિલ અને મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને લંબાવવા અંગેના પ્રસ્તાવ જેવા મહત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
એક તરફ સરકાર મહત્વના બિલો પસાર કરવા આતુર છે, તો બીજી તરફ વિપક્ષે સરકારને ઘેરવા માટેની રણનીતિ તૈયાર કરી લીધી છે. વિપક્ષ ખાસ કરીને પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કથિત મધ્યસ્થતા વાળા નિવેદન, અને બિહારમાં વોટર લિસ્ટ અંગે સરકારને સવાલ કરવા અને ચર્ચા કરવાની તૈયારીમાં છે.
સરકારી કાર્યવાહી અને ચર્ચાની તૈયારી
દરમિયાન, રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ જણાવ્યું હતું કે, "સરકાર તમામ ચર્ચાઓ માટે તૈયાર છે. જોકે, આ ચર્ચાઓ સદનના નિયમાનુસાર હોવી જોઈએ."
