આજે પ્રધાનમંત્રી નરન્દ્ર મોદી રાજસ્થાનનાં દેવગઢમાં જનસભા સંબોધશે
Live TV
-
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચારના આજે અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના દિગ્ગજ નેતા પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના દેવગઢમાં જનસભા સંબોધશે.
આ પહેલા ગઈકાલે પીએમ મોદીએ ડુંગરપુર અને ભીલવાડામાં વિશાળ જનસભાઓને સંબોધી હતી. તેમાં પીએમ મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્રને ગુમરાહપત્ર કહી આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ ગહલોત સરકાર પર નિશાન સાધ્યું હતું.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 25મી નવેમ્બરે યોજાશે. ઉલ્લેખનીય છે કે આજે સાંજે છ કલાકે ચૂંટણી પ્રચાર શાંત થશે. 25મી નવેમ્બરે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. રાજ્યની કુલ 200 બેઠકોમાંથી 199 બેઠકો ઉપર મતદાન થશે અને ત્રીજી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
