આજે બોર્ડર સિક્યોરીટી ફોર્સનો સ્થાપના દિવસ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજસ્થાનના જોધપુરમાં BSFના 60માં સ્થાપન દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, 6 દાયકાઓથી બીએસએફ,, દેશની સુરક્ષામાં ખડેપગે છે.
તેમણે જણાવ્યું હતું કે સૌથી વધુ પદક જીતનારા બીએસએફ ઉપર સૌને ગર્વ છે. બીએસએફની સજાગતાને કારણે જ સરહદના આશરે 300 ગામ હવે વાયબ્રન્ટ બન્યા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિઝબુલ-મુજાહિદ્દીન ના 3 આતંકવાદીઓને ઠાર કરનારા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોને સન્માનિત પણ કર્યા હતા.
BSF, કાશ્મીર, જમ્મુ, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, નિશાન દક્ષિણ બંગાળ, ઉત્તર બંગાળ, ગુવાહાટી, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ અને કચર, આર્ટલી, કોમ્યુનિકેશન અને કેમલ ટુકડીની મહિલા ટુકડીએ પરેડમાં ભાગ લીધો હતો. સ્વદેશી હેલિકોપ્ટર ધ્રુવ અને MI 17 રવિવારે મુખ્ય પરેડમાં સામેલ હતા.
