આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પ્રસંગે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ કોવિંદેનું સંબોધન
Live TV
-
ભારતના દિગ્ગજ વૈજ્ઞાનિક સર સી.વી. રમણે શોધેલી રમણ ઇફેક્ટની શોધના માનમાં આજના દિવસની વિજ્ઞાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ શોધ માટે સર સી. વી.રમણને વર્ષ 1930માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આજે નવી દિલ્હી માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતાં રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, વૈજ્ઞાનિક સંશોધનોના ફળ ત્યારે જ અસર કરશે જયારે પછાતવર્ગ માટેની સંસ્થાઓ, મહિલાઓ, યુવાનો અને સામાજિક આર્થિક રીતે નબળાવર્ગનાં લોકો સુધી તે પહોચશે.આ વર્ષના વિજ્ઞાન દિવસની વિષયવસ્તુ ''વિજ્ઞાનક્ષેત્રે મહિલાઓ'' વિશે બોલતાં તેમણે મહિલાઓને વિજ્ઞાનમાં ઉચ્ચ અધ્યયન માટે પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.
