આરએસએસ દ્વારા નાગપુરમાં વિજયા દશમીની ઉજવણી
Live TV
-
નિયમ અને કાયદો નહીં , પરંતુ પોતાનો વ્યવહાર વ્યક્તિને બચાવશે- મોહન ભાગવત
નાગપુર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિજયા દશમીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સર સંઘ ચાલક મોહન ભાગવતે , દેશની આંતરિક અને બાહ્ય પરિસ્થિતિ અંગે અવલોકન કરતા ઘણા મુદ્દે છણાવટ કરી હતી. તેમણે કહ્યું હતું કે નિયમ અને કાયદો નહીં , પરંતુ પોતાનો વ્યવહાર વ્યક્તિને બચાવશે. સાંસ્કૃતિક જાગરણની પરંપરા દેશમાં સતત ચાલી રહી છે. દ્વીપો તેમજ સમુદ્રી સુરક્ષા ઉપર , ધ્યાન આપવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું , કે સેનાના મનોબળ અને તાકાતની સાથે સાથે આંતરિક સુરક્ષા વધુ મજબુત કરવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું , કે યોજના તો બને છે, પરંતુ તે સમયસર લાગુ થતી નથી
