ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આજે પ્રયાગરાજમા મહાકુંભની તૈયારીઓની કરશે સમીક્ષા
Live TV
-
ઉ.પ્રના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મહાકુંભના તમામ અખાડાની મુલાકાત લેશે. અને મહાકુંભની તમામ તૈયારીઓનું નિરિક્ષણ પણ કરશે. તેમજ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. સાથે જ તેઓ સંગમ નગરીમાં મનકામેશ્વર મંદિર, મા અલોપશંકરી કોરિડોર સહિત 6 નવા કોરિડોરને ઉદ્ધાટિત કરશે.
મહાકુંભ માટે ઉત્તર પ્રદેશ સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર પણ તૈયારીઓ કરી રહી છે. 14 જાન્યુઆરીના રોજ મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન કરવામાં આવશે. મહાકુંભમાં શ્રદ્ધાળુઓને રહેવા માટે મેળા પરિસરમાં અત્યાધુનિક ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે.
