ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રિયમંત્રી અનુરાગસિંહ ઠાકુરે આજે યુથ-20 કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે આજે યુથ-20 કોન્ફરન્સનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. ચાર દિવસીય બેઠકનો આજે બીજો દિવસ છે. વારાણસીમાં રૂદ્રાક્ષ આંતરરાષ્ટ્રીય સહકાર અને સામેલન કેન્દ્ર ખાતે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ Y-20 સમિટનું આયોજન કરી રહ્યું છે.
આ સંમેલનમાં અનેક કાર્યક્રમોનું સમાપન કરવામાં આવી રહ્યું છે. તેમાં ગુવાહાટીમાં પ્રારંભિક બેઠક લેહ અને લદ્દાખમાં પ્રી-સમિટ અને મુખ્ય બેઠક પહેલા દેશભરમાં આયોજિત વિવિધ જનભાગીદારી કાર્યક્રમોનો સમાવેશ થાય છે. અમારા સંવાદદાતા જણાવે છેકે ચાર દિવસીય સમિટમાં G-20 દેશો, આમંત્રિત રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના લગભગ 125 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
