G20ના ભાગરૂપે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023નું કર્યું ઉદ્ઘાટન
Live TV
-
G20ના ભાગરૂપે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગઇકાલે ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કર્યું.
આ પ્રસંગે બોલતાં તેમણે કહ્યું કે, ભારતને "વિશ્વની ફાર્મસી" તરીકે માન્યતા આપવામાં આવી છે. ભારત સસ્તા, નવીન અને ગુણવત્તાયુક્ત તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં અગ્રેસર બન્યું છે. તેમણે તબીબી ઉપકરણ ક્ષેત્રે ભારત આગેવાની લે તેવી આશા દર્શાવી હતી.તેમણે ઉમેર્યું કે, આ એક્સપોની પ્રેરણા પ્રધાનમંત્રીના 'આત્મનિર્ભર' ભારત બનાવવાના વિઝનથી મળી છે.. મેડટેક એક્સ્પો ભારતીય ચિકિત્સા ઉપકરણની ઇકોસિસ્ટમની ક્ષમતાનું પ્રદર્શન કરવા માટે એક વિશિષ્ટ, સર્વસમાવેશક પ્લેટફોર્મ બની રહેશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દવા ઉત્પાદનમાં 33 ટકા અને દવાની નિકાસમાં 28 ટકા હિસ્સા સાથે ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ભારતમાં પ્રથમ ક્રમે છે
